ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના


: અરજી કરવાની તારીખ :

તા 16/11/2021 થી. 28/02/2022 સુધી


  • આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.
  • આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
  • આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યાબાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત ક્ચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાનાં રહેશે.
  • અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
  • પસંદ થયેલ અરજદારને નિયત સમયમાં છત્રી મેળવવા જે તે જીલ્લા કચેરીએથી જણાવવામાં આવશે.
  • કુલ 50000 અરજદારોને આ યોજનાનો લાભ મળશે

💻  ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ  📲 

https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/


 વેબસાઇડ ઓપન કરી સીધા ધટકો પર ક્લિક કરો