પાલક માતા પિતા યોજના... 

પ્રતિ બાળક દીઠ માસિક Rs.3000/- ની સહાય... 





પાલક માતા-પિતાની યોજના

આ યોજના સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ નાઠરાવ ક્રમાંક:બીસી એ/૧૦૭૮ /૧૭૫૫ /છતા.૨૬ /૧૨/૧૯૭૮ થી રાજ્યના અમુક વિસ્તારમાં અમલમાં આવેલ ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક અનથ/૧૦૨૦૦૮/ન.બા/૦૧. છતા. ૨૯/૮/ ૨૦૦૯ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ માં આવેલ છે.

પાત્રતાના ધોરણો

  • જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોયતેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ સહાય DBT થી ચુકવવામાં આવે છે.
  • જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
  • દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.
  • અમલીકરણ
  • રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી (https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
  • દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે.

>>>  નોટિસ માટે : અહી ક્લિક કરો
>>> વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 
>>>  પાલક માતા-પિતાની યોજનાનું અરજીપત્રક : અહી ક્લિક કરો