નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે નાણાંકીય સહાય..... 


****   યોજનાનું નામ
નિરાધાર વૃધ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજના

****   પાત્રતાના માપદંડ
  • ઉંમર ૬૦ થી વધુ વર્ષ
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- હોવી જોઈએ.
  • પુખ્ત વયનો (૨૧ વર્ષથી વધે વયનો) પુત્ર ન હોવો જોઈએ.
  • દિવ્યાંગ અરજદારની ઉમંર ૪૫ વર્ષથી વધુ અને દિવ્યાંગતા ૭૫% થી વધુ હોવી જોઈએ.
  • ૧૦ વર્ષ થી ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઇએ.

****   સહાયનું ધોરણ
માસિક રૂ. ૭૫૦/- ચુકવામાં આવે છે.

****   રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ એક)
  • આવક અંગેનું પ્રમાણપત્ર
  • ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • આધારકાર્ડ
  • અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સીવીલ સર્જનનું પ્રમાણપત્ર)
  • ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય,પરંતુ જો શારીરિક રીતે અપંગ હોયતો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષય નિષ્ણાંત તબીબનું/ટીબી કેન્સરથી પીડાતા હોયતો સીવીલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવું
  • ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx