સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના.... 

>>>  બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળતથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતીપરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને તાલીમાર્થી દીઠ રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જેઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:૩૦/૯/૨૦૧૭ના ઠરાવ:ક્રમાંક:સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે.નિગમની રચનાનો ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક, અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક:ઇબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ. તા:૧૫/૦૮/૨૦૧૮ તથા તા:૨૫/૦૧/૨૦૧૯ થી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ.જે પૈકી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી.(G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, બેંન્ક, યુ.પી.એસ.સી, ગૌણ સેવા પસંદગી મંડળ, તથા અન્ય માન્ય મંડળો /ભરતી કરતી સંસ્થાઓ દ્વારા વિગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સંસ્થાઓ પસંદ કરી, પસંદ થયેલી સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી દીઠ “પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.)તરીકે મળવપાત્ર થશે.”

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો
  • બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી (U.P.S.C), જી.પી.એસ.સી.(G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, બેંક, યુ. પી.એસ.સી ,ગૌણસેવા પસંદગી મડંળ તથા અન્ય માન્ય મંડળો/ભરતી કરતી સંસ્થાઓ દ્વારા વિગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સંસ્થાઓ પસંદ કરી, પસંદ થયેલી સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ ને તાલીમ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી દીઠ “પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રુ ૨૦,૦૦૦/-અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી. બી. ટી.)તરીકે મળવાપાત્ર થશે .”
  • આ સહાય ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
  • સહાય મેળવવા માટે ધોરણ-૧૨ મા ૬૦ ટકા કે તેથી વધુ હોવા જરુરી છે.
  • તાલીમાર્થી તાલીમ દરમ્યાન સરકારી નોકરી કરતા હોવા જોઇએ નહિ.
  • તાલીમાર્થી જે પરીક્ષા માટે તાલીમ લેતા હોય તો તેની ન્યૂનતમ લાયકાત ધરાવતા હોવા જોઇશે.
  • આવક મર્યાદા
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે સંસ્થાની પસંદગી અંગે નીચે મુજબના ધારા ધોરણોને ધ્યાને લેવાના રહેશે.
  • સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ -૨૦૧૩ અગરતો સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઇશે.
  • સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax,અગરતો પ્રોફેશનલ ટેક્ષ વિગેરે કાયદા હેઠળ જરૂરી કિસ્સામાં નોંધણી નંબર ધરાવતી હોવી જોઇશે.
  • સંસ્થા ન્યુનતમ ૨૦ વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઇશે.
  • તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલીફાઇડ ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.જેમ કે, ૨૦ તાલીમાર્થી દીઠ ૨(બે),૨૧ થી ૫૦ તાલીમાર્થી સુધી૩(ત્રણ), ૫૧ થી ૭૦ તાલીમાર્થી સુધી ૪(ચાર), ૭૧ થી ૧૦૦ તાલીમાર્થી સુધી ૫(પાંચ) ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.
  • તાલીમાર્થી ન્યૂનતમ ૬૦ દિવસની તાલીમ મેળવેલ મેળવેલ હોવી જોઇશે.
  • સમગ્ર કોર્ષ પૂર્ણ થયા બાદ સરેરાશ ૭૦ટકા હાજરીને ધ્યાને લઇ અરજી મંજૂર કરવાની રહેશે.

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • આધારકાર્ડની નકલ
  • ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
  • ધોરણ-૧૨ ની માર્કશીટની નકલ
  • સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ ક્લાસ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે. તો તેના રજિસ્ટ્રેશન / GST નંબર નો પુરાવો
  • તાલીમ માટે ભરવાની થતી/ભરેલ ફી નો પુરાવો
  • સંસ્થાનો એડમીશન લેટર (સ્પર્ઘાત્મક ૫રીક્ષાનાં નામ તેમજ ફી ની વિગતો સહિત)
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
  • ફોર્મ કઈ રીતે ભરવું ??? 

નોંધ : આ યોજનાનો લાભ ફક્ત ઓપન /EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે... 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://gueedconline.gujarat.gov.in/Account/Registration
લૉગિન માટે 
https://gueedconline.gujarat.gov.in/