પાલક માતા-પિતા યોજના... 

યોજનાનું નામ : પાલક માતા-પિતા

પાત્રતાના માપદંડ
  • ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી,
  • અથવા તો પિતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કર્યા હોઇ તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગાને.

સહાયનું ધોરણ
બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
  • જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
  • પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
  • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
  • પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx