GSEB દ્વારા પરીક્ષાના પરીણામ બાદ વાલીઓ અને વિધ્યાર્થીઓને મુજવતા પ્રશ્નો અંગે ટોલ ફ્રી હેલ્પલાઇન બાબતે...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ની પરીક્ષાનુ પરીણામ તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજ જાહેર કરેલ છે અને ધોરણ ૧૦ (SSC) ની પરીક્ષાનું પરીણામ તારીખ ૧૧/૦૫/૨૦૨૪ના રોજ જાહેર થનાર છે. પરીક્ષાના પરિણામ બાદ વિધાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.૧૦/૦૫/૨૦૨૪ થી તા.૨૦/૦૫/૨૦૨૪ દરમ્યાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર ધ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિધાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ લેવા જણાવવામાં આવે છે.

હેલ્પ લાઇન નંબર : 1800 233 5500

સમય : સવારે 10:00 થી સાંજે 06:00 સુધી