PM ઇન્ટર્નશિપ યોજના
(PM Internship Scheme)

ભારત સરકાર દ્વારા ભારતની ટોચની કંપની 500 અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અમલમાં આવેલ છે.જેમાં ધોરણ - 10, ધોરણ 12,ITI,ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની કંપની 500 અગ્રણી કંપનીમાં 12 માસ માટે ઇન્ટર્નશિપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકાશે.

યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે.
યુવાનોને વ્યાવસાયિક માહોલનો પરિચય કરાવવો, જેથી તેઓ મૂલ્યવાન કૌશલ્યો અને કાર્ય અનુભવ પ્રાપ્ત કરી શકે.
શૈક્ષણિક શિક્ષણ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવું.
આ યોજના યુવા પ્રતિભાઓને ઉદ્યોગોમાં જોડવાનો અને તેમને કામનો અનુભવ પ્રદાન કરવાનો છે.

કોણ અરજી કરી શકે છે..??

ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
ઉંમર 21-24 વર્ષની વચ્ચે હોવી જોઈએ
જેઓ હાલમાં કોઈ પૂર્ણ-સમયના શૈક્ષણિક કાર્યક્રમ કે રોજગારમાં રોકાયેલા ન હોવા જોઈએ.
ઉમેદવાર ધો.10, ધો.12 અથવા સમકક્ષ, ITI, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ
પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ્સનો અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે છે.

ફોર્મ માટે છેલ્લી તા. 15/04/2025

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.