ગુજરાત પોલીસ ભરતી અંગે ઉમેદવારો માટે અગત્યની સૂચના...
વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી કરનાર પરિક્ષકોની એક યાદી સોશિયલ મિડીયામાં ફરી રહી છે, જે બાબતે ઉમેદવારો ગેરમાર્ગે ન દોરાય તે હેતુસર જણાવવામાં આવે છે કે, આ યાદીમાં ઉલ્લેખિત કોઈપણ વ્યક્તિ વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી સાથે સંકળાયેલ નથી કે પેપર ઇવેલ્યુએશન કરવાના નથી. આ પત્રવ્યવહાર શિક્ષણ વિભાગનો આંતરિક પત્રવ્યવહાર છે.
વહિવટી પ્રક્રિયાના ભાગરૂપે પરિક્ષકોની પસંદગી પ્રક્રિયા કરવા માટે વિવિધ સ્ત્રોત પાસેથી વિષય નિષ્ણાંતોની યાદી મંગાવવામાં આવતી હોય છે. પ્રામાણિક અને વિષયના તજજ્ઞ પાસેથી અત્યંત ગુપ્ત રીતે પેપર ચકાસણી પ્રક્રિયા કરવામાં આવશે.
ઉમેદવારોને સાવચેત કરવામાં આવે છે કે, આ પ્રકારની યાદીને ખરી સમજીને કોઇ ઉમેદવાર ગેરમાર્ગે દોરાય નહિ. ખોટી માહિતી ફેલાવનાર વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામે નોંધ લેવી.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.