
સામાજિક અને અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC) માટે સરકારી છાત્રાલયોમાં એડમિશન ફોર્મ શરૂ...
>>> મફત જમવાની અને રહેવાની સગવડ આપવામાં આવે છે.
ફોર્મ તા. : 26/05/2025 થી 30/06/2025 સુધી

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) અને આર્થિક રીતે પછાત વર્ગોમાં મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક, ઉચ્ચ અભ્યાસક્રમમાં તેમજ ધો.૧૧ - ૧૨ માં તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુથી સરકારી છાત્રાલયો કાર્યરત છે.
નિયમો અને શરતો :-
- પ્રવેશની અરજી કરનાર ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ તથા રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇશે
- કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૬.૦૦ લાખ છે.
- પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઇએ.
- છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
- છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
- ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
- છાત્રાલયની માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે
- પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ ૨૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી
રજુ કરવાના ડોક્યુમેન્ટ :-
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
- સરકારી છાત્રાલયના રીન્યુઅલ વિદ્યાર્થી એટલે કે અગાઉના વર્ષમાં રેગ્યુલર સીટ ઉપર પ્રવેશ મેળવેલ હોય તેમને ગત વાર્ષિક પરિક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમીસ્ટરની સરેરાશ ટકાવારી ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૦% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ.
- ફ્રેશ વિદ્યાર્થીએ (a) ધો.૧૧/૧૨માં પ્રવેશ મેળવવા ધો.૧૦ નું (b) ડીપ્લોમાં પાસ કરી ડીગ્રીમાં પ્રવેશ મેળવવા ડીપ્લોમાંનું (c) સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ધો.૧૨ નું તેમજ (d) અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા સ્નાતક અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે.
- વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
- શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની ફિ પહોંચ અથવા પત્ર.
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
- વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાંક હોય તો).
- વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા / ત્યક્તાના બાળક હોય તો).
- અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.