વિદ્યાસહાયક ભરતી (1 થી 5) ના ઉમેદવારો માટે અગત્યની સૂચના...
પોસ્ટ : વિદ્યાસહાયક
ધો.1 થી 5 માં વિદ્યાસહાયક માટે ભરતી....
કુલ જગ્યા : 11000
આ સૂચના માત્ર એવા ઉમેદવારો માટે જ છે જેઓ D.El.Ed. ના છેલ્લા વર્ષમાં ભણતા હતા, TET-1 પરીક્ષા પાસ કરેલી છે અને આ ભરતીમાં ફોર્મ ભરેલું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા D.El.Ed. બીજા વર્ષનું પરિણામ જાહેર થઈ ગયું હોવાથી, આ ઉમેદવારોએ પોતાના લોગિનમાં જઈને ગુણ (માર્ક્સ) ઉમેરવાના રહેશે અને માર્કશીટ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.
D.El.Ed. ના પરિણામની ઓનલાઈન કોપી પર પોતાની સહી (સ્વપ્રમાણિત) કરીને અપલોડ કરવાની રહેશે. જ્યારે જિલ્લા પસંદગીનો સમય આવશે ત્યારે અસલ (ઓરિજિનલ) માર્કશીટ બતાવવાની રહેશે.
તા. ૧૩/૦૭/૨૦૨૬ થી તા. ૧૬/૦૭/૨૦૨૬ સુધીમાં જ કરવાની રહેશે
👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો
ખાસ નોંધ : માર્ક્સ ઉમેરવા સિવાય ફોર્મમાં બીજી કોઈ પણ વિગત સુધારી શકાશે નહીં. તેમજ, બાકીના અન્ય કોઈ ઉમેદવારો અત્યારે લોગિન કરી શકશે નહીં કે પોતાની અરજીમાં કોઈ સુધારો કરી શકશે નહીં.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો