
ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) હસ્તક લોન યોજના....
:: યોજના ::
- મહિલા સમૃદ્ધિ યોજના
- સ્વરોજગારલક્ષી યોજના (ધંધા વ્યવસાય રૂ. ૫.૦૦ લાખ)
- સ્વરોજગારલક્ષી યોજના (ધંધા વ્યવસાય રૂ. ૨.૦૦ લાખ)
- પેસેન્જર વાહન / માલ વાહક યોજના (થ્રી વ્હીલર)
- પેસેન્જર વાહન / માલ વાહક યોજના (ફોર વ્હીલર)
યોજનાનો લાભ કોણ લઈ શકશે ???
>>> અનુસૂચિત જાતિ પૈકી (અતિપછાત) જાતિના અંત્યોદય સમાજના અરજદારો માટે...
:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
- ફોર્મ શરૂ તા. : 04/07/2026
- ફોર્મ છેલ્લી તા. : 14/08/2026
>> જાહેરાત <<
👇👇

સૂચના :-
- અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુ.જાતિ પૈકી અંત્યોદય જાતિના બેરોજગાર હોવા જોઇએ. (સફાઇ કામદાર અથવા તેના આશ્રિત ન હોય તેવા)
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૩.૦૦ લાખ થી વધુ હોવી જોઇએ નહિ.
- અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઇએ.
- અરજદાર કે અરજદારના કુટુંબના આશ્રિત કોઈ સભ્ય સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઇએ નહિ.
- અરજદાર કે તેમના કુટુંબના આશ્રિત સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય અથવા જો ધિરાણ મેળવેલ હોય તો પુરેપુરૂ ભરપાઈ કરી દીધેલ હોય તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે.
- વાહન ધિરાણ યોજના માટે અરજી કરનાર જાહેરાતની તારીખે જે તે વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ ધારણ કરતાં હોવા જોઈએ.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો