નવી સરકારી ભરતી જાહેરાત

પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના)

કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર

૧૧ માસના કરાર આધારિત ભરતી (૨૦૨૬-૨૭)

📅 અરજીની છેલ્લી તારીખ
૨૧/૦૮/૨૦૨૬ (સાંજે ૦૬:૧૦ સુધી)
💼 કુલ જગ્યાઓ
૧૧ જગ્યાઓ (કરાર આધારિત)

સુરેન્દ્રનગર જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) હેઠળ જિલ્લા કચેરી તેમજ તાલુકા કક્ષાની મામલતદાર કચેરીઓમાં ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યા અને પગાર ધોરણની વિગત

ક્રમ જગ્યાનું નામ જગ્યા માસિક મહેનતાણું
૦૧ જિલ્લા પ્રોજેક્ટ-કો-ઓર્ડિનેટર
(જિલ્લા કક્ષાએ)
૦૧ રૂ. ૧૮,૦૦૦/- ફીક્સ
૦૨ તાલુકા પી.એમ.પોષણ (મ.ભો.યો.) સુપરવાઇઝર
(તાલુકા કક્ષાએ)
૧૦ રૂ. ૧૫,૦૦૦/- ફીક્સ

📝 અરજી કરવાની રીત અને સૂચનાઓ

  • અરજી ફોર્મ : જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, જિલ્લા સેવા સદન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી, રૂમ નં. ૨, સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાનું રહેશે.
  • મોકલવાની રીત : નિયત નમૂનાની અરજી રૂબરૂ, સાદી ટપાલ, રજિસ્ટર પોસ્ટ, પોસ્ટ એ.ડી. અથવા સ્પીડ પોસ્ટથી મોકલી શકાશે.
  • છેલ્લી તારીખ : તા. ૨૭/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના ૧૮:૧૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલવી.
  • પસંદગી પ્રક્રિયા : મેરીટ આધારે પસંદ થયેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે લેખિતમાં જાણ કરવામાં આવશે.