UPSC પરીક્ષા પાસ કરવા માટે સચોટ માર્ગદર્શન.... 

UPSC પરિક્ષાને લગતી તમામ માહિતી 

UPSC - યુનિયન પબ્લિક સર્વિસ કમિશન

UPSC (IAS-IPS-IFS)...

👉  UPSC શું છે ? તેની તૈયારી કઈ રીતે કરવી ? UPSC ની એક્ઝામ કોણ આપી શકે ? UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ? UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ મળે ? વગેરે સવાલો તમને થતા હશે !

👉  UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ , જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે . UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે .

⇲  UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે .

👉  પ્રિલિમ એક્ઝામ
👉  મેઈન એક્ઝામ
👉  ઇન્ટરવ્યૂ
👉  પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે .
👉  બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .
👉  જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .
👉  તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ .
👉  (બીજા પેપર ના માર્ક ગણાતા નથી)
👉  ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે,જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો .
👉  પ્રીલીમ પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી .

⇲ મુખ્ય પરિક્ષા  👇

👉  મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે .
👉  # અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે,પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે )
👉  # બીજું પેપર ભાષા નું હોય છે, (બંધારણ ની ૮ મી અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો .
👉  તેમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો ,તેમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .)
👉  આ બન્ને પેપર મા પાસ થવું જરૂરી છે આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી .

👉  👉  મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે 👇

👉  નિબંધ નું પેપર 
👉  ચાર જનરલ સ્ટડી ના પેપર
👉  બે optional‌‌ ના પેપર

( જે તમારે નક્કી કરવા નો હોય છે,જે વિષય રાખવો હોય તે, ભાષા પણ રાખી શકાય, UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )

👆આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે .
👉   ૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે )

⇲ ઇન્ટરવ્યૂ

👉   ઇન્ટરવ્યૂ કુલ ૨૭૫ માર્ક નું હોય છે.
👉   ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય,દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ,તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ? તેનો ઈતિહાસ શું છે વગેરે , ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે.

( UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે મોટાભાગે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે.)
👉   👉   👉    કુલ ૨૦૨૫ માર્ક માંથી ઉમેદવાર ને માર્ક મળતા હોય છે . 
👉   પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી .
👉    જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .

⇲ UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ? 👇

UPSC ની તૈયારી ની શરૂઆત NCERT થી કરવી જોઈએ જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .


⇲ હિસ્ટ્રી માટે 👇

👉    ધો . ૬ થી ૧૨ ની ncert
👉    પ્રાચીન ભારતનો ઇતિહાસ
👉    મધ્ય ભારત નો ઇતિહાસ
👉    આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .
👉    ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો .

⇲ ભૂગોળ માટે 👇

👉    ધો .૬ થી ૧૨ ની ncert બુક વાંચવી .
👉    કરંટ અફેર્સ વાંચવું
👉    ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી

⇲  અર્થશાસ્ત્ર માટે 👇

👉    ૬ થી ૧૨ ની ncert
👉    રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી
👉    કરંટ અફેર્સ વાંચવું
👉    યુટ્યુબ પર ના મૃણાલ પટેલ ના લેક્ચર જોવા .

⇲ પોલિટીકલ સાયન્સ માટે 👇

👉    ધો ૬ થી ૧૨ ની ncert
👉    એમ.લક્ષ્મીકાંત ની પોલિટીકલ સાયન્સ ની બુક
👉    કરંટ અફેર્સ

⇲ સમાજશાસ્ત્ર માટે 👇

👉    ધો. ૬ થી ૧૨ ની ncert
👉    સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )
👉    Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર.

⇲ વિજ્ઞાન માટે 👇

👉    ધો .૬ થી ૧૦ ની ncert ( ૧૧ ,૧૨ સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )
👉    કરંટ અફેર્સ

 ⇲ ગણિત માટે 👇

👉    ધો. ૬ થી ૧૦ ની ncert

( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ,ખાલી દસમાં સુધીનું )

⇲ અંગ્રેજી માટે 👇

 👉    અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક . આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .

⇲ Optional subject માટે 👇

👉    Optional ના બે પેપર હોય છે .
👉    ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .
👉    ગુજરાતી ભાષા નો ઇતિહાસ
👉    ગદ્ય અને પદ્ય બન્ને
👉    રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી .
👉    પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે .




👉    રાજ્યસભા ટીવી જોવી .
👉    દરરોજ ન્યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર )
👉    મહિના નું કરંટ મેગેઝીન વાંચવું
👉    જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .
👉    કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .
👉    ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે તે બધું જ જાણવું જરુરી છે .
👉    ભારત ની મુખ્ય સમસ્યા કઈ છે ?

⇲ કોણ UPSC નું ફોર્મ ભરી શકે ?

👉    UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .
👉    તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .( લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ
         આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી                  શકાય.)
👉    કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે


👉    👉    લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો 👇

👉     UPSC ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે.
👉    ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી . તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા .
👉    મનોજ કુમાર શર્મા ૧૨ ધોરણ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે .
👆 આવા તો ઘણા બધા ઉદાહરણ છે .


👉    એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે 👇
👉    અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા . હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે .
👉    ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ . જયશંકર એ UPSC પાસ કરેલી છે .
👉    એસ. જયશંકર આઈ .એફ .એસ ઓફિસર હતા .
👉    ભારત સરકાર ના પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હા એ UPSC પાસ કરેલી છે . યશવંત સિન્હા ક્લેક્ટર હતા .
👉    ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિજી સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે.
👉    ઉત્તર પ્રદેશ ના ચાર વખત મુખ્યમંત્રી રહેલા લોકસભાના સાંસદ રહેલા રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતી જી એ પણ UPSC ની તૈયારી કરેલી છે .

જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ .