વિધવા સહાય પેન્શન યોજના... 


યોજના : વિધવા સહાય યોજના 

>>> કેટલી સહાય મળવાપાત્ર છે ???? 
  • દર મહિને વિધવા લાભાર્થીને Rs. 1250/- મળવા પાત્ર છે... (અંકે રૂ. બાર સો પચાસ)

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
  • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
  • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ ) (ગ્રામ્ય માટે Rs.1,20,000/- શહેર માટે Rs.1,50,000/- આવક મર્યાદા)
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
  • અરજદારના પતિનો મરણનો દાખલો
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
  • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • મૈયતના વારસદારોનું પેઢીનામું.
  • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે. 
  • મહિલાના 18 વર્ષ પૂરા હોવા જોઈએ. 
  • રહેઠાણનો પુરાવો (સાબિતી) (લાઇટ બિલ, મ્યુન્સિપાલ ટેક્સ, આધાર કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ એક) 
  • SBI અથવા પોસ્ટમાં સેવિંગ ખાતાની પાસબુક નકલ
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે.. 
  • 21 વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ  

ફોર્મ  ક્યાંથી મેળવવું અને ક્યાં ભરવું... ??? 

>>> આ ફોર્મ મામલતદાર કચેરીએ મળશે અને મામલતદાર કચેરીએ જ ભરવાનું રહેશે. 

*** વિધવા લાભાર્થીનું જો અકસ્માતે મૃત્યુ થાય તો રૂપયા 1 લાખ તેમના વારસદારને મળશે. 


ફોર્મ નો નમૂનો (જૂનું ફોર્મ)  : અહી ક્લિક કરો

ફોર્મ નો નમૂનો (નવું ફોર્મ)  : અહી ક્લિક કરો

વિધવા સહાય અંગે પરિપત્ર : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો